શાહિદ કપૂર એ અભિનેત્રી આલિયા ભટ્ટ ના માતા બનવા પર એવી તો શું ટિપ્પણી કરી કે સોશિયલ મીડિયા યુઝર ભડકી ગયા….જાણો શું કહ્યું
શાહિદ કપૂર હાલમાં પોતાની ફિલ્મ ના કારણે બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હાલમાં જ તેમની ‘ બ્લડી ડેડી ‘ રીલીજ થઈ છે અને આ કારણે તેઓ લાઇમલાઇટ માં છે. પરંતુ ફિલ્મ ના પ્રમોશન દરમિયાન એક ઇન્ટરવ્યુ ને લઈને તેઓ ને હાલમાં ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. વાસ્તવમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન હાલમાં જ શાહિદ કપૂર એ આલિયા ભટ્ટ ના માતા બનવા પર એવું બયાન આપ્યું છે કે જે તેમના ફેંસ ને રાસ આવ્યું નથી.
જાણકારી માટે જણાવી દઈએ કે એક ઇન્ટરવ્યુ દરમિયાન શાહિદ કપૂર ને જ્યારે પુછવામાં આવ્યું કે આલિયા ભટ્ટ ને જો તમે મળો તો તમે તેને શું કહેશો? જેના પર અભિનેતા શાહિદ કપૂર એ કહ્યું કે હજુ હું હાલમાં જ અલિયા ભટ્ટ ને મળ્યો અને મને વિશ્વાસ ના થયો કે તે એક માતા બની ચૂકી છે. અભિનેતા એ જણાવ્યુ કે જ્યારે મે તેની સાથે કામ કર્યું હતું ત્યારે તે લગભગ 21 વર્ષ ની હતી.
શાહિદ કપૂર એ આગળ એ પણ કહ્યું કે જ્યારે તમે કોઇની સાથે બહુ જ સમયથી કામ કરતાં હોય અને ત્યાર પછી તે જ વ્યક્તિ ની સાથે તમે બહુ સમય પછી મળતા હોવ છો ત્યારે તમને એવું લાગે છે કે તે તેજ છે. તમે એ અનુભવ જ નથી થતો કે આટલું બધુ કઈ બદલાઈ ગયું છે. જોકે શાહિદ કપૂર નું આ બયાન લોકોને બિલકુલ પસંદ આવ્યું નથી. આલિયા ભટ્ટ ના માતા બનવા પર શાહિદ કપૂર નું આ બયાન સાંભળીને ફેંસ પણ બહુ જ નારાજ થયા છે
અને અભિનેતા ને ટ્રોલ કરતાં નજર આવી રહયા છે. ત્યાં જ ઘણા ફેંસ એવા પણ જોવા મળી આવ્યા છે જે તેમણે સપોર્ટ કરતાં જોવા મળી રહ્યા છે. ઘણા લોકોએ અભિનેતા ને ટ્રોલ કરતાં એ પણ કહ્યું કે તેમની પત્ની મીરા કપૂર પણ 21 વર્ષ ની ઉમરમાં જ માતા બની ગઈ હતી. ત્યાં જ એક યુજરે લખ્યું કે લગ્ન વખતે મિરા 20 વર્ષ ની હતી તો શાહીદ્કપુર 34 વર્ષ ના હતા. આલિયા ભટ્ટ મિરા રાજપૂત કરતાં લગભગ ઉમરમાં 1 વર્ષ જ મોટી છે.