તમે જાણો છો સલમાન ખાનના હાથમાં આ બ્રેસલેટ જ શું કામ પેહરે છે? તેની પાછળનું એક રહસ્ય આવ્યું સામે, અભિનેતા કહે છે કે આ બ્રેસલેટ…..
બોલીવુડ ઇન્ડસ્ટ્રીના મહાન અભિનેતા એવા સલમાન ખાનને લોકો દબંગ અભિનેતા પણ માનવામ આવે છે, તમને જણાવી દઈએ કે સલમાન ખાનએ ઘણી બધી એવી ફિલ્મો કરેલી છે જેના દ્વારા તે આજે એટલી બધી સફળતા પ્રાપ્ત કરી શક્યા છે. આ અભિનેતાએ પોતાની શારીરીક ફિટનેસ અને સુંદરતા પર ખુબ ધ્યાન આપ્યું હતું. સલમાન ખાનને ‘ભાઈજાન’ નામથી પણ ઓળખવામાં આવે છે.
એવામાં આ અભિનેતાએ પોતાના ફિલ્મના કર્યો પૂર્ણ કરીને પોતાના ફાર્મ હાઉસ પર જ સમય વિતાવતા હોય છે. હજી થોડા સમય પેહલા જ આ અભિનેતા કેટરીના-વિક્કીના લગ્નની વાતને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહ્યા હતા, એટલું જ નહી થોડા સમય પેહલા જ આ અભિનેતાને સાપ કરડ્યો હતો આથી તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પછી તેઓ સારવાર બાદ ફરી સારા થઈ ગયા હતા.
આજે આ લેખના માધ્યમથી અમે તમને ‘ભાઈજાન’ વિશેની એક એવી વાત જણાવા જઈ રહ્યા છીએ જેના વિશે કોઈ પણ નહી જાણતું હોય. તમને ખબર જ હશે કે સલમાન ખાન દ્વારા શેર કરવામાં આવેલ કોઈ પણ તસ્વીરમાં તેના હાથમાં એક વાદળી રંગના સ્ટોન વાળું બ્રેસલેટ તો જોવા મળે છે. શું મિત્રો તમને ખબર છે કે આ બ્રેસલેટ સલમાન ખાન શું કામ પેહરે છે? નહી, તો ચાલો તેના વિશે તમને માહિતગાર કરીએ.
સલમાન ખાનના આ બ્રેસલેટ વિશે સલમાન ખાનને તેના ચાહકેએ એક સવાલ પૂછ્યો હતો કે આ બ્રેસલેટ શું કામ પેહરેલો હોય છે, એવામાં આ સવાલનો જવાબ આપતા આ અભિનેતાએ જણાવ્યું હતું કે આ બ્રેસલેટ એટલો ખાસ છે કે જયારે પણ મારા જીવનમાં કોઈ નકારાત્મક બાબત થવાની હોય છે ત્યારે આ નકારાત્મક બાબતએ પોતાના પર લઈ લે છે આથી તેમાં દરાર આવી જાય છે. આગળ અભિનેતા જણાવે છે કે આ બ્રેસલેટમાં લગાવેલ સ્ટોનએ સાતમો સ્ટોન છે જે ફિરોજાના બે સ્ટોન માનો એક સ્ટોન છે.
View this post on Instagram
મિત્રો તમને જણાવા અનુસાર આ બ્રેસલેટએ સલમાન ખાન માટે ખુબ મહત્વ ધરાવે છે એવામાં એક વખત એવી ઘટના બની હતી કે જેનાથી સલમાન ખાન નિરાશ થયા હતા. જયારે આ અભિનેતાએ પોતાના પનવેલ વાળા ફાર્મ હાઉસે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યા હતા ત્યારે આ બ્રેસલેટ ગુમ થયો હતો આથી સલમાન ખાનનો ચેહરો ખુબ માયુસ થયો હતો. આથી તેના મિત્રોએ તેને સૌ પ્રથમ શાંત રેહવાનું કીધું ત્યારબાદ બધા થઈને બ્રેસલેટની શોધમાં લાગી ગયા હતા જેમાં આ બ્રેસલેટએ અશ્મિત પટેલને સ્વીમીંગ પુલમાં મળ્યું હતું.