ફિલ્મ “જેલર” ની સફળતાનું ઇનામ મળ્યું રજનીકાંતને!! આટલી મોંઘીદાંટ કાર મળી ભેટમાં, કિંમત સાંભળીને લાગશે ઝટકો!!!
રજનીકાંત ના નામથી મશહૂર ‘ શિવાજી રાવ ગાયકવાડ ‘ ને પ્રેમ થી તમિલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ‘ થલાઈવા ‘ તરીકે ઓળખવામાં આવે છે. દિગ્ગજ અભિનેતા ના દુનિયા ભરમાં બહુ બધા ફેન્સ છે. પાંચ દશક કરતા વધારે ના કરિયરમાં અભિનેતા એ પોતાના ફેન્સ ને હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, બંગાળી અને ઘણી ભાષાઓમાં 160 થી વધારે ફિલ્મો આપી છે. ‘ પદ્મભૂષણ ‘ ની સાથે રજનીકાંત ને ભારતીય સિનેમા માં તેમના યોગદાન ની માટે થોડા આઇકોનિક એવોર્ડ પણ મળ્યા છે. જેમાં પદ્મ વિભૂષણ , દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને બહુ બધા શામિલ છે.
રજનીકાંત ની હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ ‘ જેલર ‘ એ અપાર સફળતા મેળવી છે. ઘણા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ ને ગ્લોબલ બોક્સ ઓફિસ પર 600 કરોડ રૂપિયા થી વધારે કરી લીધી લીધી છે. આ વાતથી ઇન્કાર કરી શકાય નહિ કે ડાયરેક્ટર નેલસન દિલીપકુમાર ની ક્રાઇમ દરમાં ‘ જેલર ‘ ની અપાર સફળતા એ ફિલ્મ ના હીરો ને વિશ્વ સ્તર પર અપાર સફળતા અને વખાણ અપાવ્યા છે. આ ફિલ્મી સફળતાને લઈને ‘ જેલર ‘ ના પ્રોડ્યુસર હાઉસ ‘ સન ગ્રુપ ‘ ના માલિક કલાનિધિ મારન એ રજનીકાંત ને એક શાનદાર કાર ગિફ્ટમાં આપી છે.
આટલું જ નહિ કલાનિધિ અભિનેતા રજનીકાંત ના ઘરે બે મોંઘી કાર લઈને ગયા હતા અને તેમને બે મોંઘી કાર માંથી તેમની પસંદગીની એક કાર લેવા માટે કહ્યું હતું. આ બંનેમાં એક ‘ BMW x 7 હતી જેની કિંમત 1.24 કરોડ રૂપિયા છે અને બીજી કાર ‘ BMW i 7 ‘ હતી જેની કિમ્મત 1.95 કરોડ રૂપિયા છે. જોકે રજનીકાંત એ BMW x7 ને પસંદ કરી. એક પ્રમુખ ફિલ્મ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલન એ ઓતાના એક્સ હેન્ડલ ટ્વીટર પર એનો એક વિડીયો શેર કર્યો છે. આ વીડિયોમાં રજનીકાંત ને વ્હાઇટ કલર ના કુર્તા પાયજામા ના સેટમાં જોઈ શકાય છે.
આના સિવાય વીડિયોમાં આપણે મોંઘી કારની જલકો પણ જોઈ શકીએ છે. રિપોર્ટ નું માનવામાં આવે તો પ્રોડ્યુસર એ અભિનેતા ને ‘ સન ગ્રુપ ‘ ની સાથે એક વધુ ફિલ્મ કરવા માટે પણ કહ્યું છે. એક અન્ય ટ્વીટમાં મનોબાલા વિજયબાલને ખુલાસો કર્યો હતો કે ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફિસ પર મળેલી જંગી સફળતા વચ્ચે રજનીકાંત ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા બની ગયા છે અને ફિલ્મ માટે તેમને 210 કરોડ રૂપિયા મળ્યા છે.
જો સુપરસ્ટાર રજનીકાંત ના અંગત જીવન ની વાત કરવામાં આવે તો રજનીકાંત એ અનેક લિંક-અપ અફવાઓ અને અફેર હોવા છતાં તેમના જીવનના પ્રેમ લથા રંગાચારી સાથે ખુશીથી લગ્ન કર્યા હતા. આ દંપતીએ 26 ફેબ્રુઆરી 1981ના રોજ તિરુપતિના પ્રખ્યાત ભગવાન બાલાજી મંદિરમાં પરંપરાગત દક્ષિણ ભારતીય સમારોહમાં લગ્ન કર્યા હતા. આ કપલને બે સુંદર દીકરીઓ ઐશ્વર્યા રજનીકાંત અને સૌંદર્યા રજનીકાંત છે.