મહાભારત સીરિયલમાં શકુની મામા તરીકે રોલ નિભાવનાર ગૂફી પેન્ટલનું 78 વર્ષની ઉંમરે આ કારણે થયું દુઃખ નિધન…જાણો વિગતે

Spread the love

મિત્રો જો વાત કરવામાં આવે તો આ દુનિયામાં કોને ક્યારે અને કેવી રીતે મોત અંબી જતું હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ ગંભીર અકસ્માતમાં તો વળી ઘણી વક્જ્હ્ત કોઈ ગંભીર બીમારીને લીધે વ્યક્તિનું મોત થતું હોઈ છે. તેવામાં હાલ મનોરંજનની ઇન્ડસ્ટ્રીઝ માંથી ખુબજ દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં મહાભારત સીરીયલમાં શકુની મામા નું પાત્ર નિભાવનાર દિગ્ગજ કલાકાર ગુફી પેન્ટલનું દુખદ નિધન થયું છે. આવો તમને વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો તેમની તબિયત ઘણા સમય થી સારી નો હતી અને આ દિવસોમાં તો ઘણી ખરાબ જોવા મળી રહી હતી. તેમજ તેની સામે ડોકટરે પણ કોઈ કસર છોડી નો હતી. પરંતુ આજે સવારે મુંબઈની હોસ્પીટલમાં ૭૮ વર્ષની ઉમરે ગુફી પેન્ટલે તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ તેમના અંતિમ સંસ્કાર બપોરન સમયે અંધેરીમાં થયા હતા.

photo credit to aajtak.in

ગુફી પેન્ટલને લોકો ટીવી શો મહાભારતના શકુની મામા તરીકે ઓળખે છે. તેમની ફેન ફોલોવિંગ ખુબજ હતી. તેમજ તેમના વિષે જણાવીએ તો તેઓ એક્ટર બનતા પહેલા સેનામાં હતા. પરંતુ તેમના ભાઈ અમરજીત પેન્ટલ પહેલાથી બોલીવુડમાં હતા. આમ તેમને જોઈને ગૂફી પેન્ટલ પણ મુંબઈ આવી ગયા અને એક્ટર તરીકે તેમણે એક સારી નામના મેળવી. ગૂફી પેન્ટલે ‘મહાભારત’ સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું હતું. તે ‘અકબર બીરબલ’, ‘સીઆઈડી’ અને ‘રાધા કૃષ્ણ’ જેવા ઘણા શોમાં જોવા મળ્યો હતો. પરંતુ, મૂર્ખને વાસ્તવિક ઓળખ બીઆર ચોપરાની સીરિયલ ‘મહાભારત’થી મળી હતી. ‘

આમ ‘મહાભારત’માં શકુની માનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગયો હતો. આજે પણ લોકો તેમને શકુની માના નામથી જ ઓળખે છે. તેમનું પાત્ર તેમની ઓળખ બની ગયું હતું. ફિલ્મોની વાત કરીએ તો ગૂફી પેન્ટલે ‘દાવા’, ‘સુહાગ’, ‘દેશ પરદેશ’ અને ‘ઘૂમ’ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી દરેકનું દિલ જીતી લીધું હતું. ટીવી અને ફિલ્મોમાં કામ કરવા ઉપરાંત, ગૂફી પેન્ટલે કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતું. તેનો છેલ્લો શો સ્ટાર પ્લસ પર જય કન્હૈયા લાલ કી હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *