માધુરી દિક્ષિતને પોતાના જ પુત્રો પાસેથી નથી મળતું મહત્વ, હકીકત જણાવતા રડી પડી “ધક ધક ગીર્લ”
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી તરીકે જાણીતી મધુરી દિક્ષિતને અત્યારે કોઈ ઓળખાણ જરૂર નથી. માધુરીએ પોતાની સુંદરતા, અભિનય અને પોતાની એક્ટિંગ દ્વારા લાખો ચાહકોના દિલમાં રાજ કરે છે. એટલું જ નહી આજ પણ તેના બોલીવુડમાં જલવા કાયમ છે અને લોકો તેની એક ઝલક જોવા માટે ખુબ બેતાબ હોય છે. માધુરી દિક્ષિતએ પોતાના ફિલ્મી કરિયરમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેવા કે વિનોદ ખન્ના, સલમાન ખાન, આમીર ખાન અને ગોવીંદા જેવા સુપરસ્ટારો સાથે કાર્ય કરેલ છે.
ફિલ્મી દુનિયામાં નામ કમાવ્યા પછી માધુરી દિક્ષિતએ શ્રી રામ નેન સાથે લગ્ન સબંધમાં જોડાય હતી ત્યાર પછી તેના ઘરે બે બાળકોનો જન્મ થયો હતો. ત્યાર પછી તેણે ઘણી વાર ફિલ્મી જગતમાં કાર્ય કર્યું હતું. અત્યારે તો મધુરીએ ડાંસ રીયાલીટી શો ‘ડાન્સ દીવાને’ને જજ કરતી નજરે પડે છે. આ શોમાં ઘણી વાર જજને લગતી બબતોનો ખુલાસો થતો હોય છે. એવામાં જ મોંમ સ્પેશ્યલ વીકેંડ દરમિયાન માધુરી દિક્ષિતએ ખુબ ભાવુક થઈ ગઈ હતી.
એટલું જ નહી માધુરી દિક્ષિત ખુલાસો કરતા જણાવે છે કે તેના પુત્રોએ ક્યારેક ક્યારેક એને મહત્વ આપતા નથી આ વાત કેહતા કેહતા તેની આંખમાં આંસુ આવી જાઈ છે. એમાં થયું એવું કે, મોમ સ્પેશ્યલ વીકેંડ દરમિયાન બધા જ પ્રતયોગીઓ પોતાની માં માટે એક પરફોર્મન્સ રજુ કર્યું હતું. એવા માં એક કંટેસ્ટેન્ટએ ભાવુક થઈ ને જનાવે છે કે, તેણે કેટલી વખત પોતાની માંની વાતને ઇગ્નોર કરી છે.
અને કેટલી વાર તેના ફોન કોલ્સ પણ ઉપડ્યા નથી. એવામાં જ તે માધુરી દિક્ષિતએ ટેલીવિઝન પર ખુલાસો કરતા જણાવ્યું કે, તેના પુત્રો પણ કોઈક વાર તેને મહત્વ આપતા નથી જેથી માધુરીએ ખુબ દુઃખની અનુભૂતિ કરે છે. માધુરી દિક્ષિત જણાવે છે કે તે જયારે નાની હતી ત્યારે તે પણ તેની માતા સાથે આવું કરતી હતી હવે તે એક માં બની છે ત્યારે તેને આ વાતની અનુભૂતિ થાય છે કે આવું સહન કરીને કેટલું દુઃખ થતું હશે.
મને જાણવી દઈએ કે માધુરી દિક્ષિતએ પોતાના કરિયરની શરુઆત “અબોધ” થી કરી હતી, આ ફિલ્મએ બોક્સ ઓફીસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ દ્વારા માધુરી દિક્ષિતએ પોતાની એક્ટિંગ દ્વારા બધાનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું હતું. ત્યારબાદ માધુરી દિક્ષિતએ ‘તેજાબ’ માં કામ કરવાનો મોકો મળ્યો હતો, આ ફિલ્મએ બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. આની પછી મધુરીએ ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કાર્ય કર્યું હતું.