બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર પહોંચ્યા કેદારનાથ મંદિરની શરણમાં ! દર્શન કરી લીધા આશીર્વાદ…જુઓ વિડીયો
બોલિવૂડના ખિલાડી અક્ષય કુમાર થોડાક દિવસોથી ખુબજ હતાશ જોવા મળી રહ્યા છે. તેની એક કરતાં વધુ મોટી ફિલ્મો ફ્લોપ સાબિત થઈ. મોટા બજેટની ફિલ્મો ફ્લોપ થવાને કારણે કલાકારો પણ પરેશાન છે, પરંતુ તેમને કંઈ સમજાતું નથી. તો આ દરમિયાન હવે અભિનેતા બાબા કેદારનાથના શરણમાં પહોંચ્યા અને તેમના આશીર્વાદ લીધા. અક્ષયના કેદારનાથ ધામની મુલાકાતના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. જે હાલ ખુબજ વાયરલ થતા જોવા મળી રહ્યા છે.
સતત 5-6 મેગા બજેટ ફ્લોપ આપનાર અક્ષય આ દિવસોમાં અલગ-અલગ જગ્યાએ ફરે છે. દરમિયાન હવે તે મહાદેવના આશ્રયમાં કેદારનાથ ધામ પહોંચી ગયો. ફોટામાં અક્ષય સાથે ઘણા લોકો જોવા મળી રહ્યા છે, જેમાંથી કેટલાક સુરક્ષા કર્મચારી પણ છે. તે જ સમયે, ચાહકો પણ તેને જોવા માટે બેતાબ દેખાતા હતા. અને લોકોના ટોળે ટોળા વળી ગયા હતા.
બીજી તરફ અક્ષયે બાબાના દર્શન કર્યા હતા અને મંદિરની બહાર આવીને લોકોના પ્રેમનું અભિવાદન કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ફોટોમાં અક્ષય બ્લેક ટી-શર્ટ પહેરેલો જોવા મળી રહ્યો છે. સાથે જ લોકો આ અંગે પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક કહે છે કે, આવો, મહાદેવના આશીર્વાદ મેળવ્યા પછી કંઈક સારું થઈ શકે છે.
તો કેટલાક કહેતા હોય છે કે હવે તો મહાદેવ પણ તમારી ફિલ્મો વિશે કંઈ કરી શકે તેમ નથી. તે જ સમયે, ઘણા ચાહકો તેનો આ ફોટો ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેની ભાવિ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. જોકે, અક્ષયનો મહાદેવના શરણમાં જઈને તેમના આશીર્વાદ લેવાનું આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.
#WATCH | Rudraprayag, Uttarakhand: Bollywood actor Akshay Kumar visited Baba Kedarnath temple today and offered prayers. pic.twitter.com/0KLkYSF8Cz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 23, 2023