ગુજરાતી મનોરંજન ની મોજ

કોકિલાબેન અને અનિલ અંબાણી એ સાળંગપુર ધામ પધાર્યા, શ્રી કષ્ટભંજન દેવને ધ્વજા સહિત થાળ ધરાવ્યો, જુઓ ખાસ તસવીરો….

Spread the love

હાલમાં જ મુકેશ અંબાણી પરિવારે દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને ફરી એકવાર કોકિલાબેન અંબાણી પોતાના નાના દીકરા અનિલ અંબાણી સાથે સાળાંગપુરના દર્શનાર્થે પહોંચ્યા હતા. ચાલો અમે આપને વધુ માહિતી જણાવીએ કે, અનિલ અંબાણી અને કોકિલાબેન અંબાણીની યાત્રા કેવી રહી અને સાળાંગપૂરમાં તેમનું કઈ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ખરેખર અંબાણી પરિવાર ખૂબ જ ધાર્મિક છે અને ભગવાન પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવે છે.

સાળંગપુર ધામ મંદિર ટ્રસ્ટ દ્વારા જાણવા મળ્યું હતું કે,  રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે કર્યા સાળંગપુર હનુમાનજીના દર્શન પધાર્યા હતા તેમજ વિગતવાર માહિતી જણાવતા કહ્યું કે, રિલાયન્સના ચેરમેન અનિલ અંબાણી તેમની માતા કોકિલાબેન સાથે આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના દર્શન કરવા ગુજરાતના પ્રસિદ્ધ સલંગપુરધામ ખાતે આવી પહોંચ્યા હતા.

તેમણે મંદિરમાં શ્રી કષ્ટભંજન દેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને શ્રી કષ્ટભંજન દેવની પ્રાર્થના કરી અને આશીર્વાદ લીધા. અને દાદાને થાળ અર્પણ કર્યા બાદ દાદાને વાઘા- ધ્વજા અર્પણ કરી હતી. તેમજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી-અથાણાવાળા તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના આશીર્વાદ મેળવી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી.

હાલમાં સોશિયલ મીડિયામાં પર આ તસવીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે કારણ કે પ્રિ વેડિંગ સેલિબ્રેશન બાદ મુકેશ અંબાણી અને કોકિલાબેન દ્વારકા પહોંચ્યા હતા અને બે દિવસ પહેલા નિતા અંબાણી પણ દ્વારકાધીશના દર્શનાર્થે ગયા હતા અને હવે કોકિલાબેન અંબાણી પોતાના નાના પુત્ર સાથે શ્રી કષ્ટભંજન દેવના દર્શન કર્યા હતા. આપણે જણાવી દઈએ કે, અનિલ અને મુકેશ અંબાણી અલગ થયા બાદ કોકિલાબેન અનિલ અંબાણી સાથે રહે છે તેમજ અવારનવાર કોકિલાબેન મુકેશ અંબાણી સાથે પણ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *