એવું શું કારણ હશે જેના કારણે આ વક્તિ 5 કિમી સમુદ્રમાં તરીને હનુમાનજીના દર્શન કરવા આવે છે……જાણો કારણ
મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે હજી બે દિવસ પેહલા જ હનુમાન જયંતિનો પાવન અવસર ગયો હતો. હનુમાન જયંતિની ઉજવણી ગુજરતાના ખૂણે ખૂણે કરવામાં આવી હતી, એટલું જ નહી એ દિવસે ભગવાન હનુમાનજીના દર્શને લોકોની ભારે ભીડમાં ભગવાનના દર્શને ગયા હતા. આ દિવસે લોકો દ્વારા નાના બાળકોને સમૂહ ભોજન જેવા અનેક કાર્યક્રમો કરીને આ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.
એવામાં આમ તો આપણે જાણીએ જ છીએ કે અલગ અલગ લોકોને અલગ અલગ ભગવાન પ્રત્યેની માન્યતા હોય છે. અમુક લોકો ભગવાન ને સિંદુર અને લડવા ચડાવીને પોતાની માન્યતા પૂર્ણ કરતા હોય છે અને ભગવાનને પ્રાથના કરતા હોય છે. એવામાં એક વાત એવી સામે આવી છે કે જેના વિશે જાણીને તમે પણ ચોકી જશો. જણાવી દઈએ ઓખાનો આ યુવકની ભગવાન હનુમાનજી પ્રત્યે એક અલગ જ માન્યતા જોવા મળી છે, તો ચાલો તમને એના વિશે જણાવી દઈએ.
આ યુવકનું નામ રાજુ લાખાભા સુમાણીયા છે જે ઓખાનો રેહવાસી છે. આ યુવક ભગવાન હનુમાનજીનો પરમભક્ત છે. એવામાં આ વ્યક્તિ હનુમાન જયંતિના પાવન અવસરે ભગવાન હનુમાનજીના આશિર્વાદ લેવા માટે ઓખાથી બેટ સમુદ્રમાં લગભગ ૫ કિલોમીટર જેટલું તરીને હનુમાન દાંડીએ આવે છે અને ભગવાનની પ્રાથના કરી અને ભગવાનના હનુમાનજીના આશીર્વાદ મેળવે છે.
રાજુભાઈ આવું છેલ્લા પાંચ વર્ષથી દર હનુમાન જયંતિમાં આવું કરી રહ્યા છે, તેઓની ભગવાન પ્રત્યેની આવી ભક્તિને જોઇને ઓખાની સામાજિક સંસ્થા તેઓને પુરસ્કાર આપીને પણ સન્માનિત કર્યા હતાલ. રાજુભાઈ જણાવે છે કે તે પોતે ભગવાન હનુમાનજીના પરમ ભક્ત હોવાને લીધે આવો પરાક્રમ કરી શકે છે.